જૂનાગઢમાં પૈસાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

0

જૂનાગઢમાં પૈસાની ઉઘરાણી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, પંચેશ્વર રોડ, પ્રદિપ ખાડીયામાં રહેતા પુનિતભાઈ મનસુખભાઈ માધડ(ઉ.વ.ર૪)એ સાગર ધીરૂભાઈ મકવાણા રહે.મંગલધામ-૩, જૂનાગઢ વાળા વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીને મકાન લેવામાં રૂપીયા ઘટતા આ કામના આરોપી પાસેથી મે માસીક ૧૭.પ ટકા વ્યાજે કુલ રૂા.ર,૦૦,૦૦૦ લીધેલ હતા. જેનું દર મહીને રૂા.૩પ,૦૦૦ વ્યાજ ચુકવી આજદિન સુધીમાં વ્યાજના કુલ રૂા.૪,૯૦,૦૦૦ તથા મુળ રકમમાંથી રૂા.પ૦,૦૦૦ મળી કુલ રૂપીયા પ,૪૦,૦૦૦ ચુકવ્યા હોવા છતાં હાલ છેલ્લા એક બે મહિના ફરિયાદી પાસે રૂપીયાની સગવડ ન થતા આપી શકેલ ન હોવાથી આરોપીએ ફરિયાદી પાસેથી વારંવાર વ્યાજની ઉઘરાણી કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફોન કરી મુળ રકમ તથા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એ. પરમાર ચલાવી રહ્યા છે.

error: Content is protected !!