ભેસાણ તાલુકાના ગળથ ગામના પૂર્વ સરપંચની નિર્મમ હત્યા : આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ

0

જૂનાગઢ જીલ્લાના ગળથ ગામે પૂર્વ સરપંચની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બનવા પામતા સનસનાટી મચી જવા પામી છે. હત્યાના આ બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, વિનુભાઈ ડોબરીયાની રાત્રિના સમયે ગામમાં આવેલ પીરની દરગાહ નજીક તિક્ષ્ણ હથિયારોના ઘા મારીને બેરહેમીપૂર્વક હત્યા કરી દેવાયેલ લાશ મળી આવેલ હતી. જે અંગેની જાણ ગ્રામજનોને થતા ગામ લોકોને ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ભેસાણ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ભેસાણ પીએસઆઈ એમ.એન. કાતરીયા સહિતનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને મૃતદેહને ભેસાણ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક અગ્રણીઓ અને લોકોના ટોળેટળા ઘટના સ્થળે એકત્ર થયા હતા. આરોપીને તાત્કાલીક પકડવાની માંગણી ઉઠી હતી. ભેસાણ પોલીસે જૂનાગઢ ખાતે રહેતા મૃતકના ભાઈ ચંદુભાઈ ડોબરીયાની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે પીએસઆઈએ જણાવ્યું હતું કે, શકમંદોને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે અને ટુંક સમયમાં આરોપીઓ પકડાઈ જશે.

error: Content is protected !!