માણાવદર તાલુકાના ઉંટડી ગામની સીમમાંથી ૯ મણ જીરાની ચોરી

0

માણાવદર તાલુકાના ઉંટડી ગામે રહેતા કાંતીલાલ મોહનભાઈ ફળદુ(ઉ.વ.૬૬)એ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ઉંટડી ગામની સીમમાં બનેલા બનાવ અંગે પોલીસ ફરિયાદમાં જણાવેલ છે કે ફરિયાદીએ તેના ગામના ભરતભાઈ નરશીભાઈ ઝાલાવડીયાના ખેતરેથી જીરૂના પાકના કોથળા નંગ-૬ જીરૂ આશરે નવ મણ જે એક મણની કિંમત રૂા.પ૦૦૦ લેખે કુલ નવ મણ જીરૂની કિંમત રૂા.૪પ,૦૦૦ તથા ખાલી કોથળા નંગ-૬ જે એક કોથળાની કિંમત રૂપીયા પ૦ એમ કિંમત રૂા.૩૦૦ મળી કુલ કિંમત રૂા.૪પ,૩૦૦ની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. દરમ્યાન આ બનાવ અંગે માણાવદર પોલીસે અજાણ્યા આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે અને અજાણ્યા શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!