શ્રી કષ્ટભંજનદેવ દાદાને ગલગોટા ફુલો અને વરીયાળીનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૩૦-૦૩-૨૦૨૪ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને ગલગોટા ફુલો અને વરીયાળીનો દિવ્ય શણગાર કરી સવારે ૦૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી તથા સવારે ૦૭ઃ૦૦ કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ મંદિરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

error: Content is protected !!