સોમવારે સોમવતી અમાસ સૂર્યગ્રહણ ભારતમાં નહી દેખાય

0

ફાગણ વદ અમાસને સોમવાર તા.૮-૪-ર૪ના દિવસે સોમવતી અમાસ છે. આ દિવસે સૂર્યગ્રહણ છે. ભારતમાં દેખાવાનું ન હોવાથી ધાર્મીક દ્રષ્ટીએ પાળવાનું નથી. સોમવતી અમાસના દિવસે મહાદેવજીને દુધ, સાકર તથા કાળા તલ ચડાવા ગ્રહ પીળા દુર થશે. તે ઉપરાંત પંચાક્ષર મંત્ર ૐ નમઃ શિવાયને ર૧ માળા કરવી અથવા મૃત્યુજય મંત્રના જપ કરવા આરોગ્ય સારૂ રહેશે. આ દિવસે ઉપવાસ રહેવો. દિવો કરી પીપળે પાણી રેડવું, પીપળાની ૪ અથવા ૧૦૮ પદક્ષીણા ફરવી, પિતૃઓને મોક્ષ ગતી મળશે. ખાસ કરીને સોમવતી અમાસના દિવસે શિવ ઉપાસના વધારે ફળદાઈ રહે છે. મેષ, સિંહ, ધન રાશીના જાતકોને ગોચરનો રાહુ અશુભ ચાલી રહેલ છે. આથી આ રાશીના જાતકોએ રાહુ પીળા દુર કરવા આ દિવસે ઉપવાસ રહી અને મહાદેવજી ઉપર કાળા તલ ચડાવા, જળથી અભિષેક કરવો રાહત મળશે.

error: Content is protected !!