માણાવદર : મોટરસાઈકલ સ્લીપ થતા મૃત્યું

0

 

જૂનાગઢ જીલ્લાના માણાવદર પંથકમાં નેહલગીરી આશ્રમની બાજુમાં આવેલ રોડ ઉપર મોટરસાઈકલ સ્લીપ થતા સર્જાયેલા અકસ્માતમાં મૃત્યું થયાનો બનાવ બનવા પામેલ છે. આ અંગે માણાવદર પોલીસે આપેલી વિગત અનુસાર, માણાવદર તાલુકાના કોયલાણા ઘેડ ગામના ઉદયસિંહ ઉર્ફે ઉદેસંગ જાેરૂભા ચાવડા(ઉ.વ.૬૪) પોતાના હવાલાની મોટરસાઈકલ નંબર જીજે-૧૧-એએચ-૭૦૮૦ વાળી લઈને જઈ રહ્યા હતા. આ મોટરસાઈકલમાં કૃષ્ણાબાને પાછળ બેસાડી અને જઈ રહ્યા હતા. આ દરમ્યાન રોડ ઉપર વળાંકમાં મોટરસાઈકલ સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઈજા થવાને કારણે ઉદયસિંહ ઉર્ફે ઉદેસંગ જાેરૂભા ચાવડાનું મૃત્યું થયું હતું. જયારે કૃષ્ણાબાને ઈજાઓ પહોંચી હતી. દરમ્યાન આ બનાવ અંગે માણાવદર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!