જૂનાગઢમાં અહીંથી કેમ નીકળે છે તેમ કહી માર માર્યો

0

જૂનાગઢમાં ચિતાખાના ચોક પાસે હેઠાંણ ફળીયા નજીક બનેલા બનાવમાં તું કેમ અહીંથી નીકળે છે તેમ કહી માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે સાફીનભાઈ સબીરભાઈ ખોખર(ઉ.વ.રર) રહે.અજંટા ટોકીઝ, ફિલ્ટર પ્લાન્ટ પાસે, જૂનાગઢ વાળાએ આ કામના આરોપી મોઈનભાઈ કાલવાણી, ફેઝલભાઈ યુુસુફભાઈ તેમજ બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદી પોતાનું મોટરસાઈકલ લઈને ચિતાખાના ચોકમાં જતા હતા ત્યારે આરોપી નં-૧ તથા રનાઓએ ફરિયાદીને હેઠાંણ ફળીયા મસ્જીદ પાસે રોડ ઉપર રોકી તું કેમ અહીંથી નીકળે છે તેમ કહી આ બંને આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ અને આરોપી નં-૧ મોઈનભાઈ કાલવાણીએ મુંઢ માર મારી ફરિયાદીના કપાળે ઈજા કરી તેમજ આરોપી નં-ર ફેઝલભાઈ યુસુફભાઈએ પાઈપથી ફરિયાદીના ડાબા પગના ગોઠણના ભાગે માર મારી ઈજા પહોંચાડી તેમજ અન્ય બે અજાણ્યા ઈસમોએ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩ર૩, ૧૪૪, જીપીએકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ ડી.એસ. બાબરીયા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!