જૂનાગઢ અને વિસાવદર પંથકમાં સગીર બાળાના અપહરણના ત્રણ બનાવ : પોલીસ ફરિયાદ

0

જૂનાગઢ અને વિસાવદર પંથકમાં સગીર બાળાના અપહરણના ત્રણ અલગ-અલગ બનાવ બન્યા છે અને જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢના મધુરમ આદિત્યનગર, અન્નપૂર્ણા મંદિરની બાજુમાં રહેતા અને મુળ ગામ બાવાના પીપળવાના એક પરિવારની સગીરવયની દિકરીના અપહરણ અંગેની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ પરિવારે મજેઠી ગામના રોહીત અરજણભાઈ ચૌહાણ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપી સાથે ફરિયાદીની દિકરીની સગાઈ કરેલ હોય દરમ્યાન તેને લલચાવી ફોસલાવી અને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી આ કામનો આરોપી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા સી ડીવીઝન પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અપહરણના અન્ય બનાવમાં વિસાવદર તાલુકાના કાલસારી ગામના એક પરિવારની સગીર વયની બાળાને માણંદીયા ગામનો શાહરૂખ શેખીયા નામનો શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે જયારે વિછાવડ ગામના એક પરિવારની સગીરવયની બાળાને દિપક પટેલ રહે.મેંદરડા વાળો લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!