જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આગામી મંગળવારે હનુમાન જયંતિ પર્વની ભકિતભાવ પુર્વક ઉજવણી થશે

0

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તીહુ લોક ઉજાગર રામદુત અતુલીત બલધામા અંજની પુત્ર પવન સુત નામા : ભગવાન શ્રી રામચંદ્રજીના પરમ ભકત અને અષ્ટસિધ્ધી નવનીધીના દાતા તેમજ સંકટ મોચન હનુમાનજી મહારાજના પ્રાગટય દિન નિમીતે પૂજન, અર્ચન, હનુમાન જયંતિના પાઠ, બટુક ભોજન સહિતના અનેક વિધ કાર્યક્રમો યોજાશે

અષ્ટસિધ્ધી નવનીધીના દાતા અને સંકટ મોચન હનુમાનજી મહારાજના પ્રાગટય દિનની જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી મંગળવાર તા.ર૩-૪-ર૦ર૪ના રોજ ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને સવારથી જ અનેક વિધ કાર્યક્રમો યોજવામાં આવશે. ભગવાન શ્રી રામચંદ્રજીના પરમ ભકત હનુમાનજી મહારાજના પ્રાગટય દિનનો અવસર આગામી તા.ર૩-૪-ર૦ર૪ મંગળવારના રોજ આવતો હોય અને હનુમાન જયંતિના આ પાવનકારી પર્વની દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જૂનાગઢ શહેરમાં ટીંબાવાડી રોડ ઉપર આવેલા તાત્કાલીક હનુમાનજી મંદિરે અનેરી રોશની અને શણગાર તેમજ હનુમાન જયંતિના દિવસે પૂજન, અર્ચન, આરતી સહિતના કાર્યક્રમો યોજાશે. આ તકે ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડશે. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં આવેલા હનુમાનજીના મંદિરોને અનેરી સજાવટ કરવામાં આવશે તેમજ હનુમાનજી મહારાજની પૂજા, અર્ચના, પ્રસાદ ધરાવવો સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ભવનાથ વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ લંબે હનુમાનજી મંદિરે પણ હનુમાન જયંતિના પર્વ પ્રસંગે સવારથી જ વિવિધ કાર્યક્રમો યોજાશે અને બપોરના મહાઆરતીના કાર્યક્રમો યોજાશે. હનુમાન જયંતિના પર્વને ભાવપુર્ણ ઉજવવા માટે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!