ખાખરીયા શ્રી સવાઆપા મંદિરે બોરીસાગર પરિવાર દવારા વિષ્ણુયાગ યજ્ઞ

0

વડીયા દેવળી તાલુકાના ખાખરીયા ગામે આવેલ બોરીસાગર પરિવારના સુરાપુરા શ્રી સવાઆપાના મંદિરે ગઈકાલે બોરીસાગર પરિવારના કુળદેવી ચાંમુડા માતા તથા સુરાપુરા સવાઆપાની પ્રસન્નતા અર્થે કુટુંબ કલ્યાણની ભાવનાથી વિષ્ણુયાગ યજ્ઞ મહોત્સવ યોજાયો હતો. જેમાં યજ્ઞના મુખ્ય યજમાન તથા દાતા તરીકે મનહરલાલ કાનજીભાઈ બોરીસાગર પરિવારે સેવા આપેલ તેમજ યજ્ઞની વિધી આચાર્ય વિનોદરાય બોરીસાગર, યોગેશભાઈ બોરસાગર(સુરત) દ્વારા કરાવેલ હતી. સવારે ૬ કલાકે યજ્ઞનો પ્રારંભ થયો હતો અને ૯ કલાકે યજ્ઞની પુર્ણાહુતી થયેલ અને ત્યારબાદ પરિવારે ભોજન પ્રસાદ લીધો હતો. યજ્ઞમાં ભાવનગરથી જીતુભાઈ બોરીસાગર સહિતના પરિવારોએ લાભ લીધો હતો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હોવાનું વડીયાના હરેશભાઈ જાેષીએ જણાવ્યું હતું.

error: Content is protected !!