ભેસાણ તાલુકાના રાણપુર(સોરઠ) ખાતે શ્રી રામજી મંદિર ખાતે ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે

0

ભેસાણ તાલુકાના રાણપુર(સોરઠ) ખાતે સમસ્ત ગામ પરિવાર દ્વારા નવ નિર્માણ પામેલા શ્રી રામજી મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. સવંત ર૦૮૦ના ચૈત્ર વદ પાંચમને સોમવારથી ચૈત્ર વદ આઠમને બુધવાર સુધી આ કાર્યક્રમ યોજાશે અને યજ્ઞનો પ્રારંભ સોમવાર તા.ર૯-૪-ર૦ર૪ તેમજ યજ્ઞની પુર્ણાહુતી બુધવારે તા.૧-પ-ર૦ર૪ના રોજ થશે. યજ્ઞના આચાર્ય પદે આચાર્યશ્રી શાસ્ત્રી શ્રી હસમુખરાય જાેષી રાણપુર તેમજ સહઆચાર્ય શ્રી સ્મિત ભીખુભાઈ મહેતા(છોડવડી) વાળા રહેશે. આ કાર્યક્રમ દરમ્યાન સંતોની પધારમણી થશે. તેમજ તા.૧-પ-ર૦ર૪ બપોરે ૧૧ કલાકે ગૌશાળા વિભાગ-૧ ખાતે ભોજન પ્રસાદીના કાર્યક્રમનું પણ આયોજન થયેલ છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ભાવિક જનતાને લ્હાવો લેવા આયોજકો તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!