રાજકોટ ખાતે સમસ્ત રાજગોર બ્રાહ્મણ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

0

હરિ ઓમ મેડિકેર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી તારીખ ૨૪ એપ્રિલના રોજ રાજકોટ મુકામે સમસ્ત રાજગોર બ્રાહ્મણ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા તેમજ જ્ઞાતિ સંત પૂજ્ય મુક્તાનંદ બાપુ આશીર્વાદ આપવા માટે પધારેલ હતા. સમાજનો જે પ્રશ્ન વર્ષોથી અટવાયેલ છે તે કેન્દ્રમાં ઓબીસીમાં જ્ઞાતિને સમાવવા માટેની રજૂઆત રૂપાલને કરવામાં આવેલ અને તેઓએ આ બાબતમાં હકારાત્મક પ્રતિભાવ આપેલ હતો. હરિ ઓમ મેડિકલ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી રાજકોટ મુકામે આવેલ એમ્સ હોસ્પિટલની બાજુમાં આરોગ્ય ભુવન માટે જમીન ઉપલબ્ધ કરાવવા માટેના પ્રશ્ન પણ જરૂરી હકારાત્મક લાગણી રૂપાલા તરફથી વ્યક્ત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી સમાજના પ્રશ્નો બાબતે હરિ ઓમ મેડીકેર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલ કામગીરીને જ્ઞાતિજનો તરફથી સરાહવામાં આવેલ છે તે બદલ સૌ જ્ઞાતિજનોનો ટ્રસ્ટી મંડળ આભાર વ્યક્ત કરે છે. આ કાર્યક્રમમાં પૂજ્ય બાપુ તરફથી એઇમ્સ નજીકમાં આરોગ્ય ભુવન માટે ૫૧ લાખ જેવી મોટી રકમનું અનુદાન જાહેર કરેલ છે જે બદલ ટ્રસ્ટી મંડળ પૂજ્ય મુક્તાનંદ બાપુનો આભાર વ્યક્ત કરેલ હતો.

error: Content is protected !!