VNSGU સુરત કક્ષાએથી લેવાયેલી સેમ-૪ની પરીક્ષામાં અંકલેશ્વર શહેરની એક માત્ર સ્વામીનારાયણસ્વરૂપ બી.એડ. કોલેજનું શાનદાર ૧૦૦% પરિણામ

0

યુનિવર્સિટીની પરીક્ષામાં બી.એડ્‌. કોલેજની તાલીમાર્થીનીઓએ મેદાન માર્યું : ભારતનું ભાવિ જેના આદર્શ નેતૃત્વ હેઠળ તૈયાર થવાનું છે તેવા રાષ્ટ્રહિત ભાવિ શિક્ષકોનું ઘડતર કોલેજ દ્વારા થઇ રહ્યું છે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન સ્વામી નારાયણસ્વરૂપ બી.એડ્‌. કોલેજ, સેમેસ્ટર-૪નું ઝળહળતું ૧૦૦% પરિણામ આવતા ગુરૂકુલ સંસ્થાના વડા સ્વામી કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ તથા ટ્રસ્ટી કિશોરભાઈ પાનસુરીયાએ ભાવિ શિક્ષકોને અઢળક શુભેચ્છાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. યુનિવર્સિટી કક્ષાએથી લેવાયેલી પરીક્ષામાં બધા જ તાલીમાર્થીઓ ફર્સ્ટ ડિસ્ટીંક્શન સાથે ઉત્તીર્ણ થયા હતા. જેમાં પ્રથમ ક્રમાંકે ૯૬.૧૦% સાથે રાવલ કોમલબેન, દ્વિતીય ક્રમાંકે ૯૪.૩૦% સાથે સોલંકી તેજસ્વી કુમારી તેમજ તૃતીય ક્રમાકે ૯૪.૧૦% સાથે ક્રિષ્નન અક્ષિથા ઉતીર્ણ થયા હતા. સાથે સાથે કોલેજનું ગૌરવ વધાર્યું હતું. કોલેજના ઇન્ચાર્જ આચાર્યા દીપાબેન ભટ્ટ સહિત અધ્યાપકોએ તાલીમાર્થીઓને સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.

error: Content is protected !!