કેશોદમાં લગ્નની લાલચ આપી સગીર વયનું બાળાનું અપહરણ

0

કેશોદના આંબાવાડી વિસ્તાર બગીચાની પાછળ રણછોડનગર ટાઉન વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૭ વર્ષ અને ૧૧ મહિનાની ઉંમર ધરાવતી સગીરવયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપી અને માણાવદરનો અજયસિંહ વિક્રમસિંહ જાડેજા અપહરણ કરી ગયાની ફરિયાદ બાળાની માતાએ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બિલખામાં વરલી મટકાના જુગાર અંગે એકની અટક
બિલખા પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે વરલી મટકાના જુગાર અંગે દરોડો પાડતા અશોક અમૃતલાલ સોઢા(ઉ.વ.પ૧)ન્ રહે. બિલખા વાળાને જાહેરમાં વરલી મટકાના જુગાર રમાડતા જુગારના સાહિત્ય તેમજ રોકડ રૂા.૧૪પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગ : ત્રીજા માળેથી પડી જતા સારવાર દરમ્યાન મૃત્યું
જૂનાગઢના સંજયભાઈ વલ્લભભાઈ ચોવટીયા(ઉ.વ.૩૭) કલર કામ કરતી વખતે ત્રીજા માળેથી પડી જતા તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાર્ટએટેકથી મૃત્યું
જૂનાગઢ તાલુકાના વડાલ ગામના કાંતીભાઈ બચુભાઈ પટોળીયા(ઉ.વ.પ૬)ને હાર્ટએટેક આવવાથી સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલ જયાં ફરજ ઉપરના તબીબે તેમને તપાસી અને મૃતપાય જાહેર કરેલ છે. જૂનાગઢ તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માણાવદરના કતકપરા ગામે ગળાફાંસો ખાતા યુવાનનું મૃત્યું
માણાવદર તાલુકાના કતકપરા ગામે રહેતા ઈલફાનભાઈ ઈશાભાઈ નારેજા(ઉ.વ.રપ)ના ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને કામ ધંધો કાઈ ચાલતો ન હોય જેથી કંટાળી જઈ પોતાની મેળે પોતાના ઘરમાં પંખો ટીગાળવાના હુંકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા તેઓનું મૃત્યું થયું છે. માણાવદર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માણાવદરના શેરડી ગામે પત્ની રસીમણે જતી રહેલ હોય જેથી લાગી આવતા ઝેરી દવા પી યુવાનનો આપઘાત
માણાવદર તાલુકાના શેરડી ગામના કિશોરભાઈ કારાભાઈ બારૈયા(ઉ.વ.૩પ)ની પત્ની છેલ્લા સાતેક દિવસથી તેના માવતરના ઘરે રીસામણે જતી રહેલ હોય જેથી તેને લાગી આવતા પોતાની મેળે ઝેરી ટીકડા ખાઈ જતા તેઓનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. માણાવદર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!