રાજકોટ અગ્નીકાંડ મામલે ૮ ભૂતપૂર્વ કલેકટર, પોલીસ વડાની પુછપરછ શરૂ

0

રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં ૨૮ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં તમામ અધિકારીની પૂછપરછ કરતાં બે દિવસ કરતાં વધુ સમય લાગી શકે છે. પોલીસ ભવન ખાતે આજથી પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર પોલીસ ભવન પહોંચ્યા છે. આઈએએસ, ૩ આઈપીએસની ડીજીપી તબક્કાવાર પૂછપરછ કરશે. તત્કાલિન તમામ ટોચના અધિકારીઓને પણ પોલીસે તેડું મોકલ્યું છે. આજે જીૈં્‌ દ્વારા ૮ આઇપીએસ અને આઇએએસની પૂછપરછ કરાશે. તમામ મૃતદેહના અંતિમસંસ્કાર થઈ ચૂક્યા છે. જ્યારે આ બનાવમાં ૬ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે એક પોલીસ પકડથી દૂર છે. તેમજ એકનું આ આગમાં મોત થયું હતું.


અમુક લોકો ખાનગી હોસ્પિટલો (ટ્રીનીટી હોસ્પિટલ)માં દાઝેલી હાલતમાં સારવાર લઈ રહેલા છે કે મૃત્યુ પામેલ છે તેવી ભ્રામક માહિતી બાબતે ટ્રીનીટી હોસ્પિટલ દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો દ્વારા રદિયો આપવામાં આવેલ છે. તેમજ હોસ્પિટલના સંચાલકનું મામલતદાર દ્વારા નિવેદન લઈ ઉપરોક્ત બાબત ખોટી હોવાની ખરાઈ કરવામાં આવી છે.
હિતેષભાઈ ઉર્ફે વિજયભાઈ લાભશંકર પંડ્યાએ તેના ભાણેજ તથા તેના જૂના પાડોશીના બે સંતાનો મળીને કુલ ત્રણ વ્યક્તિ ગુમ હોવાની ફરિયાદ કરતા તેમની વિગતો ચકાસતા આ બાબત ખોટી જણાતાં હિતેષ પંડયા વિરૂદ્ધ આઈ.પી.સી.ની કલમ ૨૧૧ હેઠળ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.

error: Content is protected !!