જૂનાગઢમાં સર્વરોગ નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજી જન્મદિવસની કરી ઉજવણીે

0

જૂનાગઢ પરશુરામ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને શ્રીગોડ બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઈ દવેના જન્મદિવસ પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નિદાન તથા બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થયા હતા. આમ અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી અને તેમાં શહેરના અગ્રણી તથા બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું ઉદઘાટન સંતો સુયોગ સ્વામી અને સનાતન સ્વામી તેમજ શહેરના અગ્રણી તથા બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો યોગીભાઈ પઢીયાર, નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડોક્ટર ચેતનભાઇ ત્રિવેદી, બાર એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ જાેશી, કે.ડી. પંડ્યા, હસુભાઈ જાેશી, બટુક બાપુ, શૈલેષ પંડ્યા, મનોજભાઈ જાેષી, પ્રફુલભાઈ ત્રિવેદી, પ્રફુલભાઈ જાેષી, પલવીબેન ઠાકર વગેરેએ કરેલ હતું. ફ્રી સેવા દેનાર દરેક ડોક્ટર શૈલેષ બારમેડા, ડોક્ટર વિપુલ માકડીયા, ડોક્ટર કૌશિક ફળદુ, ડોક્ટર કિશન પરસાણીયા, ડોક્ટર આકાશ પરોડીયા, ડોક્ટર જયદીપ ટીલાળા વગેરે ડોક્ટરનું સન્માન કરવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા પાંખના ચિરાગ જાેશી અને તેની ટીમ તેમજ મહિલા પાંખના પ્રમુખ માલતીબેન મહેતા, ગાયત્રીબેન જાની, સીતાબેન દવે , હેમાગીબેન, જ્યોતિબેન મેહતા, શોભનાબેન ભટ્ટ, દિવ્યાબેન જાેષી, કુસુમબેન મેહતા તેમજ તેની ટીમ દ્વારા ભારે જેહમત ઉઠાવેલ હતી.

error: Content is protected !!