માલણકા મધુવંતી ડેમને કાંઠે ખોખી હનુમાન મંદિરના મહંત તરીકે ચાદર વિધિ કરાઈ

0

મેંદરડા તાલુકાના માલણકા ગામે આવેલ ખોખી હનુમાન મંદિરના મહંતશ્રી અવધબિહારી દાસ બાપુ બ્રમ્હાલિન થતાં બાપુના ભંડારા કરીને ત્યાંના નવા મહંત તરીકે તારીખ ૩૦-૫-૨૦૨૪ ને ગુરૂવારના રોજ મહંત શ્રી બુદ્ધ દેવદાસજી અને કોઠારી શ્રી રામ કરણ દાસજી ગુરૂ શ્રી રામદાસજી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ તકે મેંદરડાના ખાખી મઢીના મહંત શ્રી સુખરામદાસ બાપુ તેમજ મહંત રામચરણ દાસબાપુ તેમજ સાધુ-સંતો-મહંતો અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, રાજકોટથી જીતુભાઈ પટેલ તેમજ ખોખી હનુમાન મંદિરના સેવકગણ તેમજ મેંદરડાના નીડર અને બાહોશ પીએસઆઇ એસ.એન. સોનારાના ચુસ્ત બંદોબસ્ત સાથે ચાદર વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

error: Content is protected !!