માનપુર ગામે ફરિયાદનો ખાર રાખી સામસામો હુમલો : ત્રણને ઈજા

0

મેંદરડા તાલુકાના માનપુર ગામે ફરિયાદનો ખાર રાખી સામસામો હુમલો થતા ૩ વ્યક્તિને ઈજા થઈ હતી. માનપુર ગામે રહેતા ભાયાભાઈ ઉર્ફે ભાવેશભાઈ કરસનભાઈ કટારીયાના મોટાભાઈ રમેશભાઈએ ગામના નાથાભાઈ હરિભાઈ સોંરદવા સામે અગાઉ ફરિયાદ કરી હતી. જેનો ખાર રાખી નાથાભાઈ તેમાં તેના ભાઈ પંકજે રમેશભાઈની બાઈક અને ધીરૂભાઈની પાઈપલાઈનને નુકસાન પહોંચાડી ભાયાભાઈ તેમજ તેમની ભત્રીજી શીતલને માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી. સામા પક્ષે નાથાભાઈ હરિભાઈ સોંદરવાએ રમેશભાઈ સામે કરેલી ફરિયાદમાં તેમને સમાધાન કરવાનું કહી ભાયાભાઈ કટારીયા, કલ્પેશ ધીરૂભાઈ, વિનાયક ધીરૂભાઈ તેમજ ચેતન રમેશભાઈએ પ્લાસ્ટીકના પાઈપ તથા લાકડી વડે નાથભાઈને માર મારી ઈજા પહોંચાડી હતી. આ મારામારી અંગે સામસામી ફરિયાદ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!