સત્યમ સેવા યુવક મંડળ તથા ગાયત્રી શક્તિપીઠ ચેરી. ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નેત્ર યજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પમાં ૨૫૦ દર્દીઓએ લાભ લીધો

0

જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ તથા ગાયત્રી શક્તિપીઠ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે તા.૯-૬-૨૪ના રોજ ગાયત્રી શક્તિપીઠ જૂનાગઢ ખાતે આણંદની શંકરા આઈ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો દ્વારા નેત્ર, જામર, મોતિયો, વેલ, પડદાના ઓપરેશન માટે આ હોસ્પિટલના તજજ્ઞ આંખના ડો.શિલ્પાબેન યાદવ દ્વારા તપાસ કરીને ઓપરેશન વાળા દર્દીઓને આણંદની શંકરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ, આ તકે તેમની સાથે આવેલ પુરી ટીમને લાખ લાખ અભિનંદન. તેમજ કમ્પિગ થેરાપીના થેરાપિસ્ટ ડો. પ્રતીક્ષાબેન દ્વારા વા, સાંધાના દુખાવા, ચામડીના રોગ, કમર – ગોઠણ ના દુખાવા ની કંમ્પિગ થેરાપિસ્ટ તરીકેની આડઅસર વગરના ઇલાજ યુકત સારવાર અને માર્ગદર્શન આપવામાં આવેલ. આ ઉપરાંત દાંતના રોગો માટેના જૂનાગઢના સેવાભાવી ડો. પાર્થ ગણાત્રા દ્વારા દંત રોગનું નિદાન અને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવેલ હતું. આ સેવા યજ્ઞનું ઉદ્‌ઘાટન ભાગવત કથાકાર રવિભાઈ શાસ્ત્રી, મનસુખભાઈ વાજા, નાગભાઈ વાળા, હરસુખભાઈ વઘાસિયા, નિશાબેન પાનેરા, નીતાબેન દુધાત્રાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે બટુક બાપુ, અલ્પેશભાઈ પરમાર, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, યતિનભાઈ કારીયા, દીપલભાઈ રૂપારેલ, પ્રવીણભાઈ જાેશી, ચંપકભાઈ જેઠવા, મનહરસિંહ ઝાલા, રણછોડભાઈ ગોડફાડ, કે.કે. ગોસાઈ, અશોકભાઈ ભટ્ટ, નાથાભાઈ શીલુ, જીતુભાઈ નેનોજી, દયાબેન માણેક, સરોજબેન જાેશી, કંચનબેન પરમાર, કેતનભાઇ નાંઢા, શિલ્પાબેન વિગેરે સેવાભાવીઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી જે ખરેખર માનવસેવા એ જ પ્રભુ સેવાની આ ઉક્તિને સાર્થક કરે છે.

error: Content is protected !!