માતાનાં વિમાનાં પૈસાના ભાગ મુદે આધેડને ભાઇએ માર માર્યો

0

જાેષીપરાના શાંતેશ્વર વિસ્તારમાં રહેતા રતિલાલ બાબુભાઈ ચીખલીયા(ઉ.વ.૪૮)ના માતાનો ચાર વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યું નિપજ્યું હતું. જેના વિમાના ભાગે આવતા રૂપિયા આપવાના ન હોય જેથી નાનો ભાઈ ભરત બાબુભાઈ ચીખલીયા અને તેની પત્ની પવુબેને રતિલાલ તેના ઘરના ડેલા પાસે બેઠા હતા ત્યારે તેની સાથે બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈને લોખંડના એંગલ વડે અને તેની પત્નીએ લાકડી વડે માર માર્યો હતો. આ હુમલામાં ઇજા થતાં આધેડને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!