જૂનાગઢના જાેષીપરામાં જાહેર રસ્તા ઉપરની પેશકદમી દુર કરવા માંગણી : કમિશ્નરને અપાયું આવેદનપત્ર

0

ભાજપના નેતાઓની માલિકીના ખાનગી યુનિ. દ્વારા દબાણ થયાનો કોંગ્રેસનો આક્ષેપ

જૂનાગઢના જાેષીપરા વિસ્તારમાં સાર્વજનીક પ્લોટ અને રસ્તા ઉપર બાંધકામ કરી પેશકદમી કરવામાં આવી હોવાની કોંગ્રેસે રજુઆત કરી હતી. પરંતુ આ દબાણ દુર કરવા કોઈ કાર્યવાહી ન થતા કોંગ્રેસે કમિશ્નરને આવેદનપત્ર આપી દબાણ દુર કરવા માંગ કરી છે. વધુમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપના નેતાઓની માલિકીની યુનિવર્સિટી દ્વારા આ પેશકદમી કરવામાં આવી હોવાથી તંત્ર કોઈ પગલા લેતું નથી. શહેરના જાેષીપરામાં આવેલા આંબાવાડી સાર્વજનીક તથા જાહેર રસ્તા ઉપર સ્કૂલનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. આ દબાણ દુર કરવા માટે તા.૬ના કોંગ્રેસે રજુઆત કરી હતી. પરંતુ મનપા દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી. જૂનાગઢ શહેર કોંગ્રેસે કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ભાજપના નેતાઓની માલિકીની યુનિવર્સિટી દ્વારા દબાણ કરી બાંધકામ કરવામાં આવ્યું છે. જાહેર રસ્તા ઉપર બાંધકામની મંજુરી લીધી છે કે કેમ ? મંજુરી લીધી હોય તો સ્થળ તપાસ કરી છે કે કેમ ? એ સહિતના સવાલો કર્યા છે. આ દબાણ તાત્કાલીક ધોરણે ખુલ્લું કરી જવાબદારો સામે ફોજદારી રાહે પગલા લેવા અને દંડ વસુલ કરવા માંગ કરી છે.

error: Content is protected !!