મહિસાગર જિલ્લાના કોન્ટ્રાકટરે કરેલા આપઘાત મામલે જૂનાગઢમાં કલેકટરને રજુઆત

0

મહિસાગર જિલ્લાના કોન્ટ્રાકટરના આપઘાતના જૂનાગઢમાં પડઘા પડ્‌યા છે. અધિકારીએ વધુ ટકાવારી માંગી બિલ પાસ ન કરતા કોન્ટ્રાકટરે આપઘાત કર્યો હતો. ત્યારે આવી ઘટના જૂનાગઢ સહિત ગુજરાતભરમાં ન બને તે માટે જૂનાગઢ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રમુુખ રણુભાઇ દાસા અને મંત્રી જેન્તીભાઇ વઘાસીયાની આગેવાનીમાં જૂનાગઢના કોન્ટ્રાકટરો દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરાઇ છે. રજૂઆતમાં જણાવાયું છે કે, મહિસાગર જિલ્લાના કોન્ટ્રાકટર કનુભાઇ પટેલે આપઘાતના બે ત્રણ દિવસ પહેલ કરેલા કામના બિલની રકમ માંગી હતી. જો બીલ નહિ ચૂકવાય તો આપઘાત કરવો પડશે તેમ પણ જણાવ્યું હતું. પરંતુ અધિકારી બીલ કાઢવા માટે ઉચ્ચ ટકાવારીની માંગણી કરી કામ ચાલુ હોવા છતાં ખોટી નોટીસ આપી માનસિક ત્રાસ આપી અમાનવીય વર્તન કરતા હતા. જેના કારણે કનુભાઇ પટેલને આપઘાત કરવો પડ્‌યો હતો.

error: Content is protected !!