રાજકોટ રેલવે ડિવિઝને ૧૮ સ્ટેશનો અને ૭ ઓફિસ બિલ્ડીંગો ઉપર સોલાર પાવર પ્લાન્ટનો ઉપયોગ કરીને એક વર્ષમાં રૂા.૨૭.૧૮ લાખની બચત કરી

0

ઉર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને આગળ વધારતા, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને ગ્રીન અને સ્વચ્છ રેલવે તરફ મોટા કદમ ઉઠાવી રહ્યું છે. રાજકોટ ડીવીઝનલ રેલવે મેનેજર અશ્વની કુમાર અને સીનીયર ડીવીઝનલ ઈલેકટ્રીકલ ઈજનેર રજની યાદવના માર્ગદર્શન હેઠળ ડીવીઝન દ્વારા પ્રદુષણ અટકાવવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા અનેક પગલા લેવામાં આવેલ છે. આ દિશામાં રાજકોટ ડિવિઝનના વિવિધ ૧૮ રેલવે સ્ટેશનો અને ૭ ઓફિસ બિલ્ડીંગામાં ૫૧૯ કિલોવોટ ક્ષમતાના સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. ઉપરાંત, વધુ સ્ટેશનો અને ઓફિસો ઉપર સોલાર પ્લાન્ટની જાેગવાઈ કરવામાં આવી રહી છે જે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરે છે. પરિણામે, ઊર્જા બિલમાં બચત થાય છે. નાના સ્ટેશનો ઉપર સોલાર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો ઉપયોગ સ્ટેશનો પરના ઉપકરણોને પાવર આપવા માટે થાય છે જેમ કે લાઇટ, પંખા, કમ્પ્યુટર અને ફરતા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટિંગ. મોટા સ્ટેશનો ઉપર, ઉત્પન્ન થતી ઉર્જા વીજળીના ગ્રીડમાં પ્રસારિત થાય છે અને વીજળીના બિલ મીટરવાળી બિલિંગ સિસ્ટમ દ્વારા પ્રાપ્ત થાય છે. વર્ષ ૨૦૨૩-૨૪માં આ સૌર પ્લાન્ટો દ્વારા ૪૫૪૯૮૯ યુનિટ(દ્ભઉર) ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવામાં આવી છે, જેના પરિણામે વીજળી બોર્ડ દ્વારા સપ્લાય કરવામાં આવતી ઊર્જાના પ્રતિ યુનિટ ખર્ચમાં સૌર પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત ઊર્જાના ખર્ચની સરખામણીમાં તફાવત જાેવા મળે છે જેનાથી બિલમાં ૨૭.૧૮ લાખ રૂપિયાની બચત થઈ છે. રાજકોટ ડિવિઝનમાં અમૃત ભારત પ્રોજેક્ટ હેઠળ ૧૫ સ્ટેશનો ઉપર વીજળી વિભાગને લગતા કામો પ્રગતિમાં છે, જેમાં મુખ્યત્વે પ્રકાશની તીવ્રતા વધારવા, વેઇટિંગ હોલમાં એર-કન્ડિશનરની જાેગવાઈ, લિફ્ટની જાેગવાઈ વગેરેનો સમાવેશ થાય છે.

error: Content is protected !!