ખંભાળિયામાં કલેકટર કચેરી ખાતે “મારી કચેરી, હરિયાળી કચેરી” થીમ હેઠળ વૃક્ષારોપણ કરાયું

0
કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ સુરક્ષા વધારવાના ભાગરૂપે “મારી કચેરી, હરિયાળી કચેરી” થીમ હેઠળ અભિયાન થકી સરકારી કચેરીઓમાં સૌ કોઈ અધિકારી અને કર્મચારી વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરે તે માટે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા પ્રેરણા આપવામાં આવી હતી.
        જેના ભાગરૂપે ગુરુવારે ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી, કચેરીને હરિયાળી બનાવવા માટે સંકલ્પબધ્ધ થયા હતા.
error: Content is protected !!