યાત્રાધામ દ્વારકાના એસ.ટી.ડેપોમાં વ્યાપક ગંદકીથી મુસાફરો પરેશાન 

0
યાત્રાધામ દ્વારકામાં દરરોજ હજારો યાત્રાળુઓ મુલાકાત લેતા હોય છે ત્યારે સરકારી પરિવહન સંસ્થા એસ.ટી વિભાગની બસોમાં પણ દરરોજ સેંકડો યાત્રાળુઓ સહિત મુસાફરો આવાગમન કરતા હોય છે.ત્યારે એસ.ટી વિભાગમાં ગંદકીના ઢગલા જોવા મળી રહયા હોય મુસાફરોનું જાહેર હિત જોખમાય છે વળી યાત્રાધામમાં આવતાં યાત્રિકો દ્વારકા એસટી વિભાગમાં ગંદકી જોઈ નેગેટિવ ઈમેજ સાથે લઈ જતાં હોય ત્યારે એસ.ટી વિભાગે ડેપો પરિસરમાં ગંદકીને દૂર કરવા યોગ્ય પગલાં ઉઠાવવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે
error: Content is protected !!