ઉના પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક મળી

0

આગામી દિવસોમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો હોય, તહેવારોને અનુલક્ષીને પીઆઇ મયુરસિંહ રાણા દ્વારા શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં મહોરમ હોય હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. શાંતિ અને ભાઈચારાથી તહેવારો ઉજવાય તે બાબતે પીઆઇ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયાની અફવાઓથી દુર રહેવું અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મિટિંગમાં હિન્દુ સમાજના આગેવાનોમાં કોળી સમાજના યુવા આગેવાન રસિક ચાવડા, પત્રકાર માવજીભાઈ વાઢેર, મધુવન ન્યુઝના તંત્રી નીરવ ગઢીયા, મુસ્લિમ સમાજના આગેવાન યુસુફ તવકલ, અબ્બાસભાઈ સુમરણી, માસૂમભાઈ તથા સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!