ઓખા સમુદ્ર કિનારે આવેલ પૌરાણિક સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે ૨૧૦૦ લાડુનાં અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું

0

સમગ્ર દેશભરમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઓખા દરિયા કિનારે અઆવેલ પૌરાણિક સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે ૨૧૦૦ લાડુનાં અન્નકૂટ દર્શન રાખવામાં આવેલ. સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે ગણેશોત્સવ દરમિયાન ૩૫ વર્ષથી અન્નકૂટ નાં દર્શન રાખવામાં આવે છે. ઓખાનાં નગરજનો અહીં આરતી અને દર્શન કરવા બહોળી સંખ્યામાં આવે છે. રસિકભાઈ જાેષી પરિવાર છેલ્લા ૩૫ વર્ષથી આ મંદિરે સેવા આપે છે. આ શુભ પ્રસંગે રસિકભાઈ જાેષી તથા આશિષભાઈ વાયડાએ અન્નકૂટ અને મંદિર શણગારવામાં ખુબ સુંદર આયોજન કરેલ. આ આરતીમાં વિજયભા માંડણભા માણેક તેમજ ગામનાં આગેવાનોએ ભાગ લીધેલ. અન્નકૂટનાં દર્શન કરી સૌ ભાવિકો ભાવવિભોર થયા હતા.

error: Content is protected !!