રાજકોટ જીવનનગર કા વિઘ્નહર્તા મહાઆરતીમાં ભાજપના આગેવાનો : રાજકોટ જીવનનગર વિકાસ સમિતિના કાર્યોની પ્રશંસા ઃ ધારાસભ્ય ડો.દેર્શિતાબેન

0

જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ દ્વારા દસમાં વર્ષ જીવનનગર કા વિઘ્નહર્તામાં મહાઆરતી, પૂજન-અર્ચન, દિપમાલામાં શહેર ભા.જ.પ.ના આગેવાનોએ હાજરી આપી હતી. જીવનનગર સમિતિએ સામાજીક એકતા, કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી. મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું નથી પ્રદુષણ મુક્ત, ઘોંઘાટ વગર, સર્વાંગ હિતને ધ્યાનમાં લેવામાં આવે છે. ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે દિપ પ્રાગટય કરી જીવનનગર સમિતિ રહીશો માટે છેલ્લા ૪૩ વર્ષથી કાર્યરત છે. રાજ્યમાં સર્વોચ્ચ સ્થાન લીધું છે. જયંત પંડયાના નેતૃત્વથી વિસ્તારને ફાયદો થયો છે. મહાઆરતીમાં ભાગ લેવાથી ધન્યતા અનુભવું છું. ભગવાનની પૂજા-અર્ચનમાં ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ પ્રભારી રઘુભાઈ ધોળકીયા, પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી મેહુલભાઈ નથવાણી, નગરસેવકો ચેતનભાઈ સરેજા, ડો. આશિષભાઈ મકવાણા, દર્શનભાઈ જાની, કેતનભાઇ મકવાણા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, સહિત આગેવાનોએ હાજરી આપી હતી. સમિતિના પ્રમુખ જયંત પંડ્યાએ મહેમાનને આવકારી રહીશો માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓના ચિતાર આપ્યો હતો. સમિતિને રાજ્યોમાં આદર્શનું બિરૂદ મળ્યું છે. મહિલા મંડળની સક્રિયતાને બિરદાવી હતી. સુનિતાબેન વ્યાસને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. સમિતિના મૂકેશભાઈ પોપટ, ડો.તેજસ ચોકસી, વિનુભાઈ ભટ્ટ, પાર્થ ગોહેલ, કેતન મકવાણા, અનંતભાઈ ગોહેલ, શૈલેશભાઈ પૂજારા, પૂજારી પ્રવિણભાઈ જાેષી, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડીયા, ભારતીબેન ગંગદેવ, હંસાબેન ચુડાસમા, હર્ષાબેન પંડ્યા, નેહાબેન મહેતા, પ્રફુલ્લાબેન બોરીચા, ભદ્રાબેન ગોહેલ, જયશ્રીબેન મોડેસરા, જ્યોતિબેન પૂજારા, ભક્તિબેન ખખ્ખર, મહોત્સવમાં કામગીરી કરે છે.

error: Content is protected !!