ઊનામાં ગુમ યુવાનની લાશ મળી

0

ઊનાના ગીર ગઢડા ગામે રહેતા કિરણગીરી ગીરીરાજગીરી ગોસ્વામી(ઉ.વ.૩૦) ગત તારીખ ૧૧-૯ને બુધવારે ઘરેથી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો અને ગુમ થઈ ગયાની પોલીસમાં જાહેરાત કરી હતી. ગીર ગઢડા ગામના રેલવે સ્ટેશન પાસે પાંચ નાળાની બાજુમાં પાણીના ખાડામાં માનવ લાશ પડી હોવાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી કિરણગીરીના પરિવાર સાથે પહોંચી લાશ કિરણગીરીની ઓળખી બતાવી હતી. લાશને ગીર ગઢડા સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવી હતી. લાશ કોહવાયેલી હાલતમાં હોય પોસ્ટ મોર્ટમ કરવા જામનગર મેડિકલ કોલેજમાં લઇ જવામાં આવી છે. પોલીસે અકસ્માતે મોતની નોધ કરી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવીયા પછી મૃત્યુંનું કારણ જાણવા મળશે. ગોસ્વામી પરિવારમાં શોકનું વાતાવરણ બની ગયું છે.

error: Content is protected !!