એકાદશી-શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ દાદાને ૩૦૦ કિલો ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર

0

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી એકાદશી નિમિત્તે તા.૧૪-૦૯-૨૦૨૪ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો એવં સવારે ૦૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી -અથાણાવાળા તથા ૦૭ઃ૦૦ કલાકે શણગાર આરતી પ.પૂ શ્રી શુકદેવ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને એકાદશી -શનિવાર નિમિત્તે વિશેષ વાઘા અને સિંહાસને ૩૦૦ કિલો ફુલનો શણગાર કરાયો છે. આ તમામ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. જેમાં ઓર્કિડ અને ગુલાબના ફુલ છે. ૬ સંતો -પાર્ષદોની મહેનત અને ૪-૫ કલાકનો સમય લાગ્યો હતો. તો આજે સાંજે દાદાનું રાજાેપચાર પૂજન -અભિષેક- આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

error: Content is protected !!