આવતીકાલે જૂનાગઢમાં કેળવણીકાર પેથલજીભાઈ ચાવડાની જન્મજયંતિ ઉજવાશે : વિવિધ કાર્યક્રમો

0

એસપી હર્ષદ મહેતા, ડીડીઓ, ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

જૂનાગઢના કેળવણીકાર પેથલજીભાઈ ચાવડાની કાલે રવિવારના રોજ ૯પમી જન્મજયંતિની સુભાષ એકેડમી ખાતે જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સુભાષ હોસ્પિટલ ખાતે સવારે ૯ કલાકે રકતદાન શિબીર યોજાશે જેનું ઉદઘાટન એસપી હર્ષદ મહેતા કરશે અને અતિથી વિશેષ તરીકે ડીડીઓ નિતીન સાંગવાન ઉપસ્થિત રહેશે અને સાંજે પઃ૩૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ ધારાસભ્ય સંજય કોરડીયાના અધ્યક્ષ સ્થાને અને મુખ્ય મહેમાન ડો. અંકિતાબેન મુલાણી લેખક પ્રેરકવકતા અને રાત્રે ૯ કલાકે રંગભવન સુભાષ એકેડમી ખાતે હાસ્યકલાકાર હિતેષ અંટાળાનો કાર્યક્રમ રાખેલ છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જવાહરભાઈ પી. ચાવડા અને રાજ ચાવડાના માર્ગદર્શન હેઠળ તૈયારી થઈ રહી છે.

error: Content is protected !!