તાલાલા તાલુકાના ૧૩ ગામોના ગામતળ વધારવાની જમીન હક્કનાં ઓર્ડરની સોંપણી કરાઈ

0

સુરવા, હડમતીયા, જાવંત્રી, વડાળા, બામણાસા, ધાવા, જશાપુર, વાડલા, મંડોરણા સહિતનાં ૧૩ ગામોની ગામતળ વધારાની જમીનનાં ઓર્ડરની સોંપણી કરાઈ

જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા અને તાલાલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતીમાં તાલાલા મામલતદાર કચેરી ખાતે ૧૩ ગામોના ગામતળ વધારવા માટેનો જમીનનો હુકમ ઓર્ડર સરપંચ/વહીવટદારોને સોંપવામાં આવ્યો હતો. કલેક્ટરએ જણાવ્યું હતું કે, સારી ટીમ વર્કના કારણે ટૂંક સમયમાં વહીવટી તંત્રએ વર્ષો જુના પ્રશ્નનું નિરાકરણ લાવીને કામગીરી પૂર્ણ કરીને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. ૧૩ ગામોના ગામતળ વધારા માટેના જમીનના હક્કો વન વિભાગ પાસેથી મેળવી અને ગ્રામ પંચાયતોને સોંપવામાં આવ્યા છે. ટૂંક સમયમાં વધારાના ગામતળમાં વિકાસને લગતા કામો પણ હાથ ધરવામાં આવશે. વધુમાં, તેમણે વધારાના ગામતળની મળેલી જમીનનો સદુપયોગ કરીને શૈક્ષણિક સહિતના તમામ ક્ષેત્રોએ આગળ વધીને દેશના વિકાસમાં સહભાગી બનવાની આશા વ્યક્ત કરી હતી. ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, ૧૩ ગામોમાં વિકાસને લગતા કામો સરળતાથી હાથ ધરી શકાશે અને નાના માણસોને કોઈપણ મુશ્કરી ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવશે તેમ વધુમાં ઉમેર્યું હતું. તાલાલા તાલુકાના સુરવા, હડમતીયા, જાવંત્રી, વડાળા, બામણાસા, ધાવા, જશાપુર, વાડલા, મંડોરણા, માધવપુર જાંબુર, ચિત્રોડ, રમરેચી, હિરણવેલ ગામોને ગામતળની વધારાની જમીનનાં વનવિભાગ પાસેથી કબ્જાે મેળવીને પંચાયત વિભાગને આપવામાં આવ્યાં છે. ગામોના વિકાસ માટેના કામો હાથ ધરી શકાશે. આ તકે અધિક નિવાસિ કલેકટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જાેષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સહિતના સંબંધિત વિભાગના અધિકારી-પદાધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં.

error: Content is protected !!