પ્રાચી તીર્થ ખાતે અમાસના દિવસે ગીર-સોમનાથ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક શ્રાદ્ધ તર્પણ યોજવામાં આવશે

0

પ્રાચી તીર્થ ખાતે તારીખ ૨-૧૦-૨૦૨૪ને બુધવારના ભાદરવા વદી અમાસને પાવન દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારના તત્વાવધાનમાં ગીર સોમનાથ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક શ્રાદ્ધ તર્પણ તેમજ ગાયત્રી યજ્ઞ તથા સમુહ ભોજન પ્રસાદ પરમ પૂજ્ય ગુરૂદેવ લિખિત ૩૨૦૦ પુસ્તકોનો સાહિત્ય સ્ટોલ વગેરે કાર્યક્રમો શ્રી કારડીયા રાજપૂત સમાજની ધર્મશાળા ખાતે રાખવામાં આવેલ છે. સાથે યજમાનને લાવવા માટે ત્રાસ નંગ-૨, ત્રાંબાનો લોટો, વાટકો, એક ચમચી અને ફરજિયાત ધોતી પહેરીને આવવાનું રહેશે. પૂજાની દરેક સામગ્રી ગાયત્રી પરિવાર તરફથી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં લાભ લેવા માટે નામની નોંધણી કરાવવા માટે ગાયત્રી પરિવારની શાખાઓ તથા ગાયત્રી પરિવારના પરિજનોનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!