સલાયામાં નવરાત્રી પર્વને અનુલક્ષીને વીજ પુરવઠા બાબતે તંત્રને રજૂઆત

0

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે નવરાત્રી પર્વને અનુલક્ષીને વીજ વિક્ષેપ ન સર્જાય તે હેતુથી સ્થાનિક અગ્રણી દ્વારા વીજ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સલાયા ગામના રઘુવંશી આગેવાન અને શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવા દ્વારા વીજ પ્રશાસનને એક લેખિત રજૂઆત પાઠવીને જણાવાયું છે કે આગામી તારીખ ૩ થી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સલાયા તથા આસપાસના વિસ્તારમાં બાળાઓ ગરબીમાં આદ્યશક્તિની ઉપાસના કરે છે. આ તહેવાર દરમિયાન કોઈ વીજ ફોલ્ટ ન સર્જાય અને વીજ પુરવઠો રાબેતા મુજબ જારી રહે તે માટે જરૂરી પગલા લેવા તેમજ જરૂરી રીપેરીંગ કામ વહેલી તકે પૂર્ણ થાય તે માટેની રજૂઆત આ પત્રમાં કરાઈ છે.

error: Content is protected !!