ઉના તાલુકા સમસ્ત બ્રહ્મ કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન

0

તારીખ ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ રવિવારનાં રોજ ઉના તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ કર્મચારી મંડળ દ્વારા ધોરણ ૧થી લઇ અને ઉચ્ચ શિક્ષણ તેમજ વિશિષ્ટ પ્રતિભા ધરાવતા ૧૬૫ થી વધારે વિદ્યાર્થીઓનું શ્રી નાથળિયા ઉનેવાળ બોર્ડિંગ – ઉના ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ નિમિત્તે અતિથિ તરીકે પ્રકાશભાઈ જી જાેશી (પીએસઆઇ – ઉના) તેમજ જયસુખભાઈ એચ. મહેતા – પૂર્વ મંત્રી ઉના તાલુકા બ્રહ્મ સમાજ કર્મચારી મંડળ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિજયભાઈ કે. જાેષી(પ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ ઉના), હરેશભાઈ જાેષી(પ્રમુખ, પરશુરામ યુવા સંસ્થાન ઉના), અરવિંદભાઈ જાની(પ્રતિનિધિ બ્રહ્મ સમાજસમૂહ લગ્ન સમિતિ ), ઈશ્વરભાઈ ઠાકર(ટ્રસ્ટી નાંથળિયા ઉનેવાળ બોર્ડિંગ) અને રાજુભાઈ ઉપાધ્યાય(પ્રમુખ, બ્રહ્મ સમાજ કર્મચારી મંડળ- ઉના) મંચસ્થ રહ્યા હતા. પ્રમુખ રાજુભાઇ ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદબોધન કર્યું અને પ્રવીણભાઈ ધાંધાલાએ બ્રહ્મ કર્મચારી મંડળનાં ઉદ્દેશ, સ્થાપના અને કામગીરી વિશે પોતાની આગવી શૈલીમાં રજૂઆત કરી. જયસુખભાઈ મહેતાએ પણ બાળકોને અભ્યાસનાં મહત્વ અને કારકિર્દી ઘડતર માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમાજનાં તમામ હોદ્દેદારો અને સ્વયંસેવકોએ ખૂબ જહેમત ઉઠાવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રત્નેશભાઈ જાેષી અને દીપકભાઈ જાેષીએ અને આભારવિધિ સંજયભાઈ જાેષીએ કરેલ.

error: Content is protected !!