ઊનાની એ.આર. ભટ્ટ કોલેજના ચાર વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું

0

તાજેતરમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢની તૃતીય પદવીદાન સમારોહ સોમનાથના રામજી મંદિર ઓડીટરિયમમાં યોજાયો હતો. જેમાં ઊનાની એ.આર. ભટ્ટ કોલેજમાં અભ્યાસ કરતા ફાઇનલ વરસમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનાર ૧. બેરડીયા રાહુલ બી. ન્ન્મ્માં, સોલંકી નિકિતાબેન પી. ન્ન્મ્માં, ફાગણીયા રિધ્ધિબેન કે. ન્ન્સ્માં, ઝાલા રૂપાલીબેન બી. મ્જીઉમાં ગોલ્ડ મેડલ મેળવતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી પાનસુરીયાભાઈ, સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી, યુનિવર્સિટીના કુલપતિ ચેતનભાઈ ત્રિવેદી હસ્તે ગોલ્ડ મેડલ અને ડિગ્રી સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવતા કોલેજ અને તેમના પરિવારનું ગૌરવ વધારેલ છે. કોલેજના ટ્રસ્ટી અને સ્ટાફે અભિનદન આપેલ હતા.

error: Content is protected !!