ભાદ્ર માસની શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ઉલ્લાસભેર ઉજવણી

0

શ્રી સોમનાથ મંદિરમાં લઘુરૂદ્રયજ્ઞ અને જ્યોતપુજન, મહાપૂજા, આરતી કરવામાં આવ્યા : મધ્યરાત્રિએ મહાઆરતીના દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

પ્રથમ જ્ર્યોતિલંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી ઉપર મહાદેવના દર્શન કરવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પધારે છે. ત્યારે પવિત્ર ભાદ્ર માસની માસિક શિવરાત્રિ ઉપર પ્રણાલિકા અનુસાર માસિક શિવરાત્રિ ઉપર શ્રી સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન અનુસાર લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે શ્રી સોમનાથ મંદિરમાં દૈનિક ૧૨૧ રૂદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે. ત્યારે ભાદ્ર માસની માસિક શિવરાત્રી ઉપર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી. સાથે જ રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ, એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપભાઈ ચાવડા તેમજ મોટી માત્રામાં ભાવિકો જોડાયા હતા. પૂજનના અંતે શ્રી સોમનાથ મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવી હતી જે સામગ્રી દ્વારા મંદિરના પૂજારીશ્રી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ ૧૨ઃ૦૦ વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. “હરહર મહાદેવ, જય સોમનાથ”ના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠયું હતું.

error: Content is protected !!