ગિરનાર અંબાજી મંદિરે આઠમનો હવન શુક્રવારે યોજાશે : બપોરે બીડું હોમાસે

0

જૂનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના મંદિરે આસો નવરાત્રીનો આઠમનો હવન શુક્રવારે સવારે યજ્ઞ શરૂ થશે. બપોરે ૧૨ વાગે બીડું હોમવામાં આવશે. મંદિરના મહંત તનસુખગીરી બાપુની એક યાદીમાં જણાવાયું છે કે માતાજીના નવલા નોરતાના અનુષ્ઠાન અને માતાજીની રોજબરોજની પૂજા અર્ચન અને આરતી અને હવનષ્ટમી આઠમનો યજ્ઞ તારીખ ૧૧ને શુક્રવારના રોજ યોજવામાં આવશે. વહેલી સવારે યજ્ઞ શરૂ થશે અને બપોરે ૧૨ વાગે બીડુ હોમવામાં આવશે. ત્યારબાદ મહા આરતી અને ભાવિકો માટે મહાપ્રસાદનું અનેરૂ આયોજન કરાયું છે. જેમાં માતાજીના દર્શને પધારેલા ભાવિકો માટે મહાપ્રસાદનું અનેરૂ આયોજન કરાયું છે. સાથે સાથે નવરાત્રીમાં અનુષ્ઠાન કરી રહેલા પૂજારીઓ હવનમાં ભાગ લેશે. તદઉપરાંત નીચે ભીડભંજન મહાદેવની જગ્યા ખાતે પૂજ્ય તનસુખગીરી બાપુની નિશ્રામાં વાઘેશ્વરી માતાજીના અનુષ્ઠાનના હવનના દિવસે યજ્ઞ યોજાશે જેમાં પૂજ્ય બાપુ દ્વારા ગરબી મંડળની બાળાઓને પ્રસાદ અને લાણીનું વિતરણ કરવામાં આવશે.

error: Content is protected !!