દ્વારકા ખાતે બેતાલીસ ગામના આગેવાનો દ્વારા સ્વ. રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવાઈ

0

Oplus_131072

તાજેતરમાં દેશના પ્રમુખ ઉદ્યોગપતિ રતન ટાટાનું દુઃખદ અવસાન થતાં સમગ્ર દેશમાં શોકની લાગણી વ્યાપી છે ત્યારે ઓખામંડળમાં પણ આઝાદીકાળથી ટાટા ગૃપનું ઔદ્યોગિક એકમ આવેલ હોય આ વિસ્તારના લોકોનો પણ સ્વ. રતન ટાટા સાથે અનોખો સંબંધ હોય દ્વારકાના સનાતન સેવા મંડળ ખાતે સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેકની આગેવાનીમાં તેમજ ઓખામંડળના બેતાલીસ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં સ્વ. રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ધારાસભ્ય પબુભા માણેકે સ્વ. રતન ટાટાને દેશનું ખરા અર્થમાં રતન ગણાવી તેમના ઔદ્યોગિક તેમજ સામાજિક ક્ષેત્રે યોગદાનને બિરદાવ્યું હતું.

error: Content is protected !!