દ્વારકાધીશ જગતમંદિરમાં આવતીકાલે બુધવારે શરદ રાસોત્સવ ઉજવાશે

0

યાત્રાધામ દ્વારકામાં આગામી તા.૧૬મી ઓકટોબર, ર૦ર૪ને બુધવારના રોજ દ્વારકાધીશ જગતમંદિરમાં શરદ રાસોત્સવની ઉજવણી કરવામાં આવશે. જે અન્વયે જગતમંદિરના પૂજારી પરિવારના સૂત્રોના જણાવ્યાનુસાર તા.૧૬મીએ બુધવારે જગત મંદિરમાં રાસોત્સવની ઊજવણી અનુસંધાને ઠાકોરજીન| સેવાક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો છે. તા.૧૬મી ઓકટોબરે ઠાકોરજીની મંગલા આરતી સવારે ૬ કલાકે યોજાયા બાદ ઠાકોરજીનો સવારનો સેવાક્રમ નિત્યક્રમ અનુસાર થશે. બાદ સાંજે સેવા ક્રમ નિત્યક્રમાનુસાર થશે તેમજ રાત્રે સંધ્યા આરતી બાદથી મંદિર બંધ થાય ત્યાં સુધી જગતમંદિરના પટાંગણમાં રાસોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.

error: Content is protected !!