મંગળવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ૨૦૦ કિલો ફુલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો

0

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૧૫-૧૦-૨૦૨૪ને મંગળવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે ૭ શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. તેમજ મંદિરના પરિસરમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે મંગળવારના પવિત્ર દિવશે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં ૧૫ દિવસની મહેનતે બનેલા પ્યોર સિલ્કના જરદોશીવાળા વાઘા પહેરાવ્યા છે. આ સાથે દાદાના સિંહાસને પંચરંગી ગુલાબ અને એન્થોરિયમના ૨૦૦ કિલો ફુલનો શણગાર કરાયો છે.

error: Content is protected !!