બુધવારે શરદપૂણિર્માનંુ મહત્વ

0


આસો શુદ ચૌદસને બુધવાર તારીખ ૧૬ ઓક્ટોબરના દિવસે શરદપૂણિર્મા છે. બુધવારે રાત્રે ૮ઃ૨૧ કલાકથી પૂનમ તીથી શરૂ થાય છે. જે ગુરૂવારે સાંજના ૪ઃ૫૬ સુધી જ પૂનમ તિથિ છે. ખાસ કરીને શરદ પૂનમમાં રાત્રિના ચંદ્રનંુ મહત્વ હોય છે આથી બુધવારે આખી રાત પૂનમ તિથિ છે. જે ગુરૂવારે નથી અને શરદ પૂનમમાં રાત્રીનું મહત્વ વધારે હોય છે આથી નિયમ પ્રમાણે વ્રતની પૂનમ કોજાગરી પૂનમ શરદપૂણિર્મા બુધવારે ગણાશે. તે ઉપરાંત જે લોકો પોતાના કુળદેવતા-કુળદેવી માતાજી અથવા જે કોઈ દેવી-દેવતાના પૂનમના દર્શને જતા હોય તેઓ ગુરૂવારે સાંજના ૪ઃ૫૬ સુધી પૂનમ નથી હોતા પૂનમના દર્શન ગણાશે. શરદપૂણિર્માની રાત્રે ચંદ્રમાં પોતાનું અમૃત તત્વ પૃથ્વી ઉપર વરસાવશે. શરદ પૂનમના દિવસે ચંદ્ર સોળ કળાએ ખીલશે. એક વર્ષમાં બાર પૂનમ આવે છે. તેમ શરદ પૂનમનું મહત્વ વધારે છે. શરદ પૂનમને મોટી પૂનમ કહેવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ચંદ્રમાં ૧૬ કળાએ ખીલી ઉઠે છે અને પોતાનું સંપૂર્ણ તેજ પૃથ્વી ઉપર પાડે છે અને ચંદ્રમાં રહેલું અમૃત તત્વ શરદ પૂનમની રાત્રે પ્રકાશ દ્વારા પૃથ્વી ઉપર પડે છે. તેનાથી શરદ પૂનમને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે. શરદ પૂનમની સાંજના લક્ષ્મીપૂજન કરવું શ્રીયંત્રનું પૂજન કરવું શ્રેષ્ઠ છે. ર્નિધનતાનો નાશ થાય છે. સાંજના સમયે પોતાના ઘરે લક્ષ્મીજીના સિકકા અથવા શ્રીયંત્રને પંચામૃતથી પૂજન કરવું. સાકરવાળા દુધનો તેના ઉપર શ્રીસુકત બોલતા બોલતા અથવા ઓમ મહાલક્ષ્મી નમઃ બોલતા બોલતા અભિષેક કરવો તેનાથી સ્થીર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. શરદ પુનમની રાત્રે લક્ષ્મીજી ઘરે ઘરે જાય છે અને તપાસ કરે છે કોણ જાગી રહ્યું છે મારો કયો ભકત જાગે છે. આથી શરદ પૂનમનું એક નામ કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે. શરદપૂનમની રાત્રે ચંદ્રમાં પોતાનું સંપૂર્ણ અમૃત તત્વ રૂપી તેજ પૃથ્વી ઉપર પાડતા હોવાથી પોતાની અગાસીમાં રાત્રે સાકરવાળુ દુધ અને પૌંવા થોડીવાર રાત્રે ૧૨ વાગ્યે મુકી અને તેન પ્રસાદ લેવો તેનું મહત્વ વધારે છે. તેનાથી શરીરની આરોગ્યતા સારી રહે છે અથવા તો આખી રાત સાકર મુકી અને સવારે તેનો પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકાય. શરદ પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં દોરો પરોવવાથી આખોનું તેજ અને બળ વધે છે. આયુર્વેદમાં પણ શરદ પૂનમનું મહત્વ વધારે છે. ધામિર્ક દ્રષ્ટિએ શ્રીકૃષ્ણ ભગવાનની મહારાશ લીલા પણ શરદ પૂનમની રાત્રે થઈ હતી. આથી શરદ પૂનમની રાત્રે કૃષ્ણ ભગવાનની ભકિતનું મહત્વ પણ વધારે રહેલું છે. જયોતિષની દૈષ્ટિએ લોકોર્ને ચંદ્ર નબળો હોય અથવા જન્મકુંડળીમાં ગ્રહણયોગ વિષયોગમાં જન્મ થયેલ હોય તો આ દિવસે ચંદ્રના જપ પૂજા કરવાથી અથવા તો કરાવાથી રાહત મળે છે. શરદ પૂનમના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પણ ઉત્તમ ફળદાયક છે. લક્ષ્મી પુજાનો શ્રેષ્ઠ સમય શરદ પૂનમના દિવસે રાત્રે ૮ઃ૨૧થી છે. શરદ પૂનમની રાત્રે ૧૨ વાગ્યા સુધી અથવા આખી રાત્રીનંુ જાગરણ કરવું.
– જ્યોતિષી રાજદીપ જોશી(વેદાંત રત્ન)

error: Content is protected !!