૧પ ફેબ્રુઆરીથી પાસપોર્ટના નિયમોમાં વ્યાપક ફેરફાર આવશે : પોલીસ વેરીફીકેશન સરળ બનશે
(એજન્સી) નવીદિલ્હી તા.૭
ભારત સરકારે વર્ષ ૨૦૨૬ માટે પાસપોર્ટના નવા નિયમો જાહેર કર્યા છે, જે સમગ્ર દેશમાં અરજદારો માટે અરજી પ્રક્રિયાને સરળ બનાવવા, સુરક્ષા મજબૂત કરવા અને સેવા વિતરણને ઝડપી બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
આ અપડેટેડ નિયમો, તા.૧૫ ફેબ્રુઆરી પછી સંપૂર્ણપણે અમલમાં આવશે, તેનો હેતુ પાસપોર્ટ મેળવવાની કે રિન્યૂ કરવાની પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવાનો અને છેતરપિંડી તેમજ બિનજરૂરી વિલંબને ઘટાડવાનો છે.
છેલ્લી ઘડીએ અરજી રિજેક્ટ ન થાય અથવા પ્રક્રિયામાં અડચણ ન આવે તે માટે અરજદારોને નવા નિયમોથી વહેલી તકે માહિતગાર થવા વિનંતી કરવામાં આવી છે. નવા માળખા હેઠળ, પેપરવર્ક ઘટાડવા માટે પાસપોર્ટ અરજી માટે સ્વીકાર્ય દસ્તાવેજોની યાદીને ટૂંકી અને ડિજિટાઈઝ કરવામાં આવી છે.
આધાર કાર્ડ અને અન્ય સરકારી ઓળખપત્રો જેવા ફરજિયાત પુરાવાઓને પ્રાધાન્ય આપવામાં
આવ્યું છે, જેનાથી અરજદારો
ઓછા પ્રમાણપત્રો અને પાસપોર્ટ ઓફિસના ઓછા ધક્કા સાથે જરૂરિયાતો પૂરી કરી શકશે.


