યુવાનોએ વૃક્ષારોપણ કરી વન દેવતાનું પૂજન કર્યુ

0

જૂનાગઢ નજીક આવેલ કાથરોટા ગામની ગૌચર જમીનમાં પર્યાવરણપ્રેમી યુવાનોએ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે આ ઉત્સવની અનોખી રીતે ઉજવણી કરી હતી. યુવાનોએ વન દેવતાનું પૂજન કરી વૃક્ષારોપણ કર્યું હતું. હીમાશુભાઈ ઝાલા, વિવેકભાઈ પટેલ,અનીલ રૂપાપરા સહીતના યુવાનોએ જણાવ્યું હતું કે તેઓનો ઉદેશ્ય વધુને વધુ વૃક્ષારોપણ કરવાનો છે જેથી ગ્લોબલ વોર્મિંગના સંકટ સામે રક્ષણ મેળવી શકાય. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હવેથી દર ગુરૂપૂર્ણિમાના અવસરે તેઓ વન દેવતાનું પૂજન કરી જૂનાગઢ પંથકની અલગ અલગ જગ્યા ઉપર વૃક્ષારોપણ કરશે જેથી કરીને જેનો ફાયદો પશુ પંખી સહીત મનુષ્યને પણ થાય.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!