જૂનાગઢમાં યુવતિ ઉપર હુમલો

0

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર રહેતી એક પરીણીત યુવતિ ઉપર હુમલાનો બનાવ બનેલ છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ જવાહર રોડ ઉપર સ્વામી ચોક નજીક રહેતી એક યુવતિએ સલમાન ઉર્ફે નીઝામબીન મહંમદ મકરાણી રહે. દોલતપરાવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી ફરીયાદી યુવતિને કહેલ કે તું પોલીસને મારી બાતમી કેમ આપે છે તેમ કહી ફરીયાદી ઉપર ઉશ્કેરાઈ જઈ બિભત્સ વર્તન કરી જ્ઞાતિ વિષે હડધૂત કરી ગદડાપાટુ તેમજ રસ્સાથી અને સાવરણાથી માર મારી તેમજ કુલર તેમજ ઘરની બારી અને દરવાજા તોડી નાખી નુકશાન પહોંચાડયાની ફરીયાદ નોંધાવાવમાં આવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે અને વધુ તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુ
જૂનાગઢ દિપાંજલી સોસાયટીમાં રહેતા જસવંતકુમાર હિરજીભાઈ ઝાલાવાડીયા અકસ્માતે પડી જતા તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. જયારે કેશોદ તાલુકાનાં રંગપુર ગામનાં મનસુખભાઈ અરજણભાઈ કણસાગરા (ઉ.વ. પપ)નું ઝેરી દવા સેલ્ફોર્સનાં ટીકડા ખાઈ જતાં તેનું મૃત્યું થયાનું જાણવા મળે છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!