વેરાવળમાં સમાજ કલ્યાણ નિરીક્ષકને ઢીકાપાટુનો માર મારી ફરજમાં રૂકાવટ કરી

0

વેરાવળ તાલુકા સમાજ કલ્યાણ નિરીક્ષકને કાજલી ગામે અરજીની ખરાઇ કરવા ગયેલ તે સમયે કાજલી ગામના શખ્સે બીભત્સ શબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી ફરજમાં રૂકાવટ કરેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવેલ છે.
આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગીર-સોમનાથ જીલ્લામાં નાયબ નિયામક અનુ. જાતિ કલ્યાણની કચેરીમાં તાલાલા તાલુકામાં સમાજ કલ્યાણ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા સુનીલભાઈ રામાભાઇ ગામીતની પાસે વેરાવળ તાલુકાના સમાજ કલ્યાણ નિરીક્ષક તરીકેનો વધારાનો ચાર્જ હોય અને આ કચેરીમાં ડો. આંબેડકર આવાસ અંગે કાજલી ગામના શામજીભાઇ કાળાભાઇ પરમાર તથા ઉષાબેન મુકેશભાઇ રાઠોડની અરજી આવેલ હતી. જેથી ખરાઇ કરવા ગયેલ તે વખતે કાજલી ગામના મુખ્ય ગેઇટ પાસે બંન્ને અરજદારના રહેણાંક બાબતે પુછપરછ કરી રહેલ ત્યારે બીજલ ભોજાભાઇ પરમાર નામના શખ્સે અમારા ગામમાં કેમ ખરાઇ કરવા માટે આવ્યો છે તેમ કહી બીભત્સ શબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી ફરજમાં રૂકાવટ કરેલ હોવાની ફરીયાદ સોમનાથ મરીન પોલીસમાં નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ એ.એસ.આઇ. રાઠોડે હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!