ખંભાળિયામાં નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ કાર્ય વધુ સુદ્રઢ બનાવાયું

0

ખંભાળિયા પંથકમાં વરસી ગયેલા ૫૩ ઈંચ સુધીના ભારે વરસાદના કારણે ઠેર ઠેર માગોર્ ધોવાઈ જતાં સફાઈ કાર્ય ખોરંભે ચડ્યું હતું. આ પછી છેલ્લા બે દિવસના વરસાદી વિરામ તથા ઉઘાડ બાદ નગરપાલિકા તંત્રે સફાઈ મુદ્દે પ્રાધાન્ય આપી, શહેરના જુદા જુદા વિસ્તારોમાં સફાઈ કામગીરી વધુ તેજ બનાવી દીધી હતી.
વરસાદી પાણીના કારણે ભરાઈ ગયેલી ગટરો ચોખ્ખી કરાવવા, તથા પાણીનો માર્ગ ખુલ્લો કરાવવા નગરપાલિકાના ચીફ ઓફિસર એ.કે. ગઢવીની રાહબારી હેઠળ સેનિટેશન વિભાગના વડા રમેશ વાઘેલા સહિતની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરો સાફ કરાવવા, કચરાના ઢગલા ઉપાડવા સહિતની કામગીરી અવિરત રીતે હાથ ધરવામાં આવતા નગરજનોએ રાહતનો દમ ખેંચ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!