કોરોનાનો આતંક, જૂનાગઢ તથા ધોરાજીના દર્દીના થયેલા મૃત્યું

0


જૂનાગઢ શહેર અને જિલ્લામાં રોજબરોજ કોરોનાના કેસોની સંખ્યાનો વધારો થઈ રહેલ છે ત્યારે ગઈકાલે જૂનાગઢ સીટીના એક કોરોના દર્દી તેમજ ધોરાજીના એક દર્દીનું મૃત્યુ થતાં લોકોમાં ભયની લાગણી જન્મી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં વધુ બે દર્દીના મોત થયા છે. જેમાં જૂનાગઢના જોશીપરાના અને ધોરાજીનાં એક દર્દીએ સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરીએ જણાવેલ કે, ગઇકાલે જૂનાગઢના જોશીપરા વિસ્તારના પ૯ વર્ષીય પુરૂષનું મૃત્યુ થયેલ અને એ અગાઉ ધોરાજીના એક ૭૬ વર્ષીય કોરોના દર્દીનું પણ મૃત્યુ નિપજયું હતું. ડીડીઓ પ્રવિણ ચૌધરીએ વધુમાં જણાવેલ કે, જોશીપરાના કોરોના દર્દીનું મોત નીપજતા જૂનાગઢ જિલ્લાનો મૃત્યુ આંક આઠ થયો છે. જેમાં જુનાગઢનાં છ મોત તેમજ જૂનાગઢ ગ્રામ્યના એક અને વિસાવદરના એક કોરોના દર્દીના મોતનો સમાવેશ થાય છે. પ્રવિણ ચૌધરીએ વધુમાં જણાવેલ કે જોશીપરાના મૃત્યુ પામેલ પ૯ વર્ષીય કોરોનાને અનકંટ્રોલ ડાયાબીટીસ હતા. જેની દર્દી તેમજ તેમના પરિવારજનોએ પણ જાણ ન હતી. ઉપરાંત આ દર્દી કોરોનાનાં લક્ષણો જણાવ્યાના ચાર દિવસ બાદ સારવાર અર્થે દાખલ થયેલ. તા. ૧૦ના રોજ તેમનો પોઝિટીવ રીપોર્ટ આવેલ અને ગઇકાલે મૃત્યુ પામ્યા હતા. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એ લોકોને સાવચેતી રાખવા માસ્ક પહેરી રાખવા અને સોશ્યલ ડિસટન્સ જાળવવવાની સાથે કોરોનાના લક્ષણ જણાયે તુરત જ હોસ્પિટલનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!