ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં ભાવિકોની ગેરહાજરીમાં જન્માષ્ટમી પર્વ ઉજવાશે

0

ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા ખાતે ઈતિહાસમાં અને જન્માષ્ટમી મહોત્સવની ભાવિકોની ગેર હાજરીમાં ઉજવણી કરવામાં આવશે. કોરોના સંક્રમણને લઈને જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જન્માષ્ટમીના આગળ પાછળના ચાર દિવસ સુધી મંદિર બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે. કરોડો ભાવિકોની જેની પ્રત્યેની આસ્થા જોડાયેલ છે તે ભગવાન શ્રી દ્વારકાધીશના જન્મોત્સવની દર વર્ષે રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે કોરોના સંક્રમણને લઈને મંદિર ખૂલ્લું રહેશે કે બંધ રહેશે એ અંગે ભાવિકોમાં ચર્ચા ચાલી રહી હતી. ત્યારે દ્વારકા કલેકટર દ્વારા સતાવાર રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આગામી તા.૧૦/૮ થી ૧૩/૮/૨૦૨૦ સુધીના ચાર દિવસના ગાળા દરમ્યાન મંદિરને ભાવિકો માટે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે, જેમાં ફરજ ઉપરના સરકારી કર્મચારીઓ અને પૂજારીઓને છૂટ આપવામાં આવી છે. આ જાહેરનામાંને લઈને ઈતિહાસમાં પ્રથમ વખત દ્વારકાધીશનો જન્મોત્સવ ભાવિકોની ગેર હાજરીમાં ઉજવવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!