માણાવદર : મહાદેવીયા મંદિર પાસે ગટરમાંથી પુરૂષની લાશ મળી

0

માણાવદર શહેરના મહાદેવીયા મંદિર પાસેની ગટરમાંથી ૪પ વર્ષના પુરૂષની લાશ મળતાં ચકચાર મચી છે. મહાદેવીયા મંદિર પાસે એક મોટી ખુલ્લી ગટર છે. જેમાં કોઈ અજાણ્યા શખ્સની લાશ પડી હોવાનું માણાવદર પોલીસ સ્ટેશનમાં કોલ આવતા તત્કાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ડેડ બોડી ગંદી ગટરમાં પડેલ હતી. ત્યારે ખુદ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઈ રવૈયાએ કપડા ખરાબ થશે તેવી કે કોઈ હાલ કોરોના ચેપ લાગશે તેવી બીક રાખ્યા વગર લાશ કાઢવામાં પોતે પણ જાેડાયા હતાં. અને માનવતાવાદી લાગણી ધરાવતા જીજ્ઞેશભાઈ ધીરજલાલ રવૈયાએ પોતે ડેડ બોડી ઉપાડી હતી. હાલ ડેડ બોડી મળી તેનું નામ ભીખાભાઈ ખોખરભાઈ સોલંકી (ઉ.વ.૪પ) હોવાનું બહાર આવ્યું છે. તેઓ કોઠારીયા નર્સરીમાં કામ કરતાં હતાં કયાં કારણોસર મૃત્યુ થયું તે માટે ડેડ બોડીનું પીએમ થાય પછી ખબર પડશે હાલ પીએચસી માણાવદરમાં ડેડ બોડી પહોંચી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!